જનરલ જળસંચય પર્યાવરણ મુલાકાત

સરસ્વતી અને તેની સહાયક મુખ્ય નદીઓનો જળ પ્રવાહ

વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત છે. અરવલ્લી હિમાલયની જેમ બરફના પહાડો નથી પણ એની એટલી ક્ષમતા જરૂર છે કે જો સારો વરસાદ વરસે તો સરસ્વતી નદીને કચ્છના રણ સુધી પ્રવાહિત કરી ઈતિહાસને ઉજાગર કરી શકે એનુ ઉત્તમ ઉદાહરણ 2017 બાદ આપણને સૌને જોવા મળ્યું છે.

જો આપણે સરસ્વતી નદીના પટને દુષિત ન કરીએ. ગાંડા બાવળો ના સામ્રાજ્ય ને દુર કરીએ. સરસ્વતી નદીના કિનારે આપણા દેશી વૃક્ષો ઉછેરીએ. મુક્તેશ્વર ડેમ માંથી જે પણ પાણી હોય એના 50 ટકા નદીના પટમાં મુક્ત કરતા રહીએ તો ઉત્તર ગુજરાતની સરસ્વતી જીવંત રહી શકે એમ છે. સાથે સાથે સાબરમતી, ઉમરસી , બનાસ સાથે એની સહાયક નદીઓ સમગ્ર વિસ્તારની ઈકો સિસ્ટમ નો‌ આધાર બની ભૂગર્ભ જળને સમૃદ્ધ કરી શકવા શક્તિમાન છે એનો ઈતિહાસ સાક્ષી છે.

અત્રે મુક્તેશ્વર ડેમ સુધી આવતી સરસ્વતી નદી અને તેની સહાયક નદીઓની જળ રાશી નો વિડીયો પ્રસ્તુત છે જે આપ સૌને અવશ્ય ગમશે.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More