જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદીને સહાયક જોયણ નદીનુ ઉદ્દગમ સ્થાન.

અરવલ્લીની ગિરિમાળાઓ માં મોમાજીનો પહાડ છે ત્યાં સરસ્વતીની સહાયક એવી જોયણ નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ વિસ્તાર વન સમૃદ્ધિથી ભરપૂર છે. અસંખ્ય નાના ઝરણાઓ મળી જોયણને નદીનુ સ્વરૂપ આપે છે. વાયા મુમનવાસ, પાવઠી,ધોરી, જોઈતા સિસરાણા થઈ સલેમકોટ સુધી જોયણ નદીનો પટ વિસ્તરેલો છે. સલેમકોટમાં આ નદીનો સરસ્વતી નદી સાથે સંગમ થાય છે. જોયણ એ મુક્તેશ્વર ડેમ બાદ સરસ્વતીને મળતી હોવાથી સરસ્વતી નો સંગમ ડેમના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ સર્જાય તો જ જોયણ સાથે સાથ મિલાવી સિદ્ધપુર તરફ પ્રયાણ કરે.

જોયણ, અર્જુની, ખારી, કાંપણી  એ સરસ્વતીને મુખ્ય સહાયક નદીઓ છે. નદીના તેમજ તેને માળતા અસંખ્ય વહોળાઓના પ્રવાહને બાંધવામાં ન આવે તેમજ એના પ્રવાહને અડચણરૂપ ન કરવામાં આવે તો સરસ્વતી સાચા અર્થમાં લોકમાતા બની ઉત્તર ગુજરાત ના ભૂગર્ભ જળ ભંડારો છલકાવી શકે એટલુ પાણી અરવલ્લીના પહાડોમાં સારા વરસાદ થકી કુદરતી ઝરણા સ્વરૂપે છલકતુ રહે છે.

જોયણ નદીનું ઉદ્દગમ સ્થાનની મુલાકાત નો ટૂંકો વિડીયો આપ જોઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પોશિનાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાત.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાતનું આયોજન એહમદભાઈ હાડા, રાજુભાઈ બારોટ, અસરફભાઈ બિહારી અને સ્થાનિક ગાઈડ મિત્ર વિક્રમસિંહ સાથે ગોઠવાયું. વરસાદની...
Read More
post-image
જળસંચય પર્યાવરણ પ્રવાસ મુલાકાત વીડિયો

ઉમરેચા ચેક ડેમથી સિધ્ધ્પુર સુધી સરસ્વતી નદી શોધયાત્રા

સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સરપંચ શ્રી, તેમજ વડગામના અશરફ બિહારી, ઈરફાન સાથે સરસ્વતી નદીના પટ ઉપર આવેલ ઉમરેચા બેરેજ , નાગવાસણા કોઝવે ,સંડેસરી કોઝ...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ મુલાકાત

સરસ્વતી અને તેની સહાયક મુખ્ય નદીઓનો જળ પ્રવાહ

વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ

અર્જુની-સરસ્વતી અને ખારી નદી સંગમ સ્થળ

ભેમાણના ડુંગરો માંથી આવતી નદી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેથી આવતી હોવાથી તે ખારી નદી તરીકે ઓળખાય છે. આ ખારી નદીનો પ્રવાહ...
Read More