જળસંચય

જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બાસણા ગામ.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાસણા ગામે અમરપુરી મહારાજ ઉપર ગામની શ્રદ્ધા અને માર્ગદર્શનથી ગામે સારી પ્રગતિ કરેલ છે, જેઓએ આજથી આશરે 400 વર્ષ પૂર્વે જીવંત સમાધિ લીધેલ હતી.

સુજલામ સુફલામ્ તથા ધરોઈ કેનાલના કારણે ભૂગર્ભ જળના લેવલમાં સારો એવો સુધારો થયેલ છે. થોડાક વર્ષો અગાઉ આ ગામના જળસ્તર નીચે જવાથી ફેઇલ ગયેલ બોરને રિચાર્જ બોરમાં કન્વર્ટ કરેલ છે, ઉપરાંત આ ગામમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસરને અડીને મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરતું તેમજ ગામના ભૂગર્ભ જળને સમૃદ્ધ બનાવી રાખતું 500 વર્ષ જુનું વિશાળ તળાવ છે, જેમા બારેય મહિના પાણીથી છલોછલ રહે છે. ક્યારેક તળાવમાં ઓછા વરસાદને કારણે પાણીની પૂર્તિની જરૂરિયાત ઊભી થાય તો આ તળાવથી એક- દોઢ કિમી દૂર ધરોઈની પાઈપલાઈન પસાર થાય છે એ પાઈપલાઈન મારફત આ તળાવમાં પાણી લાવી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તળાવની પૂર્વ- પશ્ચિમ દિશાએ રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે. તળાવનું પાણી આ રીચાર્જ બોર મારફત ભૂગર્ભ જળને સજીવન કરે છે. ક્યારેક ચોમાસામાં વધુ વરસાદ પડે અને તળાવ ઓવરફ્લો થાય તો વધારાના પાણી નિકાલ માટે પાઈપલાઈન મારફત નજીક પસાર થતી ખારી નદીમાં આ પાણી છોડી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગામમાં અન્ય જગ્યાએ પણ જ્યાં વરસાદી પાણીનો આવરો છે અને ભરાવો છે એવી જગ્યાએ પણ રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણી સરળતાથી ભૂગર્ભમાં ઉતરી ભૂગર્ભ જળને રિચાર્જ કરી શકે.

બાસણા અને દેલા ગામ વચ્ચે નર્મદા નદીના પાણીની કાચી કેનાલ પસાર થાય છે જેના કિનારે ડિઝલ એન્જિન મુકી આજુબાજુના ગામના ખેડૂતો પોતાના ખેતરમા વાવેલ વિવિધ પાકોની સિંચાઈ કરે છે. નહેર થી પોત પોતાના ખેતર સુધી પાઈપલાઈન લઈ જતી વખતે વચ્ચે આવતા ખેતરોના ખેડૂતો પોતાના ખેતરમાંથી પાઈપલાઈન લઈ જવા દે છે એટલે કે ખેડૂત વર્ગ એકબીજાને સહકાર આપી નહેરના પાણીનો ખેતપાકો માટે ઉપયોગ કરે છે. નહેરમાં વહેતા પાણી , તળાવ, રિચાર્જ બોર , ધરોઈ પાઈપલાઈન વગેરે વ્યવસ્થાઓને લીધે આ વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ઉપર આવ્યા છે. બંધ થયેલા કુવા ચાલુ થયા છે. ભૂગર્ભ માંથી પંદર વિસ હાથ પાણી ઉપલબ્ધ છે. જરૂરી વ્યવસ્થા ઊભી કરવાને પરિણામે પાણીની છતને લીધે ખેતપાકો મોટા પ્રમાણમાં વવાય છે અને સમૃદ્ધ ખેતી આ વિસ્તારમાં થાય છે.

યોગ્ય વોટર મેનેજમેન્ટ થકી ભૂગર્ભ જળને સાચવી શકાય છે એટલુ જ નહી વર્ષોવર્ષ ના ટ્યુબવેલ અને લાઈટબીલના તોતીંગ ખર્ચા થી બચી ખેતીને પોષક બનાવી શકાય છે.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

આબુરાજ માં આવેલ પાંડવગુફાની મુલાકાત

પવિત્ર પાવન ભૂમિ એવા આબુરાજના પર્વતો વચ્ચે આવેલ ઐતિહાસિક પાંડવગુફાની પ્રાકૃતિક જગ્યાએ વિશ્વ વર્ષાવન દિવસે મુલાકાતે જવાનું થયું. યોગાનુયોગ આ દિવસે વર્ષારાની પણ મન...
Read More
post-image
જનરલ મુલાકાત

શાળા હોય તો આવી…!!

શિક્ષણ, શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ સમાજની તસ્વીર બદલી શકે છે જો શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ જીવન મૂલ્યોના પાઠ શીખી શકે એવી ઉત્તમ અને ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ...
Read More
post-image
મુલાકાત

સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત

૧૫ , જુન, ૨૦૨૫ ના રોજ પ્રભુ સેવા મંડળ લક્ષ્મીપુરા, પાલનપુર દ્વારા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્ર ચોકડી હિમંતનગર મુકામે પદ્મશ્રી એવોર્ડ વિજેતા -૨૦૨૫...
Read More
post-image
ઇન્ટરવ્યું

મરીન એંજિનિયર જીમેશ જોશી સાથે મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના વડગામ  ગામના વતની અને હાલ પાલનપુર નિવાસી જીમેશભાઈએ મહારાષ્ટ્ર નેવલ એકેડમી, પુણેમાંથી મરીન એન્જિનિયરિંગની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી છે. હવે તેઓ ભારત...
Read More
post-image
ઇન્ટરવ્યું

IIT Graduate જય ચૌધરી સાથે વાર્તાલાપ.

પાલનપુર તાલુકાના નાનકડા નળસર ગામનો તેજ્સ્વી યુવાન જય ઘેમરભાઈ ચૌધરી બચપણથી જ ભણવામાં હોંશિયાર હતો. આજે જય ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગણાતી એવી Indian...
Read More