જનરલ જળસંચય પર્યાવરણ

અર્જુની-સરસ્વતી અને ખારી નદી સંગમ સ્થળ

ભેમાણના ડુંગરો માંથી આવતી નદી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેથી આવતી હોવાથી તે ખારી નદી તરીકે ઓળખાય છે. આ ખારી નદીનો પ્રવાહ વડગામ તાલુકાના મોરિયા ગામે સંગમ પામી દાંતા તાલુકાના ભોખરી પાસે આવતી સરસ્વતી – અર્જુની ના સંયુક્ત પ્રવાહ સાથે સંગમ પામે છે એટલે ત્રણ નદીઓનાં જળ આ સ્થળે મળતા હોવાથી ત્રિવેણી સંગમ કહી શકાય. આ ત્રણ નદીઓનાં સંયુક્ત પાણી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ચેલાણા થઈ મુક્તેશ્વર ડેમમાં જાય છે.

અગાઉ અમે નદીમાં પાણી નહોતું ત્યારે સુકી નદી પટમાં પણ આ સંગમ સ્થળની મુલાકાત લીધી હતી.

ભૌગોલિક રીતે નજીક આવેલ નદી કાંઠાના મોરિયા, ખારી, ભોખરી, ચેલાણા વગેરે ગામો તાલુકા વિભાજનમાં અલગ અલગ સ્થાન ધરાવે છે. (ક્રમશ:)

આ સ્થળ ના દર્શન હેતુ તેમજ વધુ માહિતી માટે અત્રે આપ વિડીયો નિહાળી શકો છો

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More