જનરલ

વડગામમાં શ્રી રામ સ્મૃતિ ઉપવનનું લોકાપર્ણ.

પરમ ચેતના સ્થિત પરમ પૂજ્ય ગુરુદેવ પં. શ્રી રામ શર્માજી આચાર્ય પરમ વંદનિય માતા ભગવતી દેવીજીની અસીમ કૃપાથી બનાસકાંઠા જિલ્લાના વડગામ મુકામે પ્રકૃતિ, પર્યાવરણ સંવર્ધન તથા સ્વાસ્થ્ય હેતુ શ્રી રામ સ્મૃતિ ઉપવનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો જેના અંતર્ગત શોભાયાત્રા, અગિયારકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન વડગામ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું.

વડગામના જ વતની અને વડોદરા સ્થિત ઉદ્યોગપતિ શ્રી ગિરિશભાઈ બાબુલાલ ભોજકે રૂ. 5,51,000 ની સહયોગ રાશી શ્રી રામ સ્મૃતિ ઉપવનના નિર્માણમાં આપી છે. ઉપરાંત શ્રી રામ સ્મૃતિ ઉપવનમાં સાધનારૂમ માટે ગામલોકોએ તેમજ વડગામ આજુબાજુના ગાયત્રી પરિવારજનોએ નાનો – મોટો સહયોગ આપ્યો છે.

કોઈ પણ ધાર્મિક સંસ્થા જ્યારે લોક ઉપયોગી, સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી, પર્યાવરણ જાળવણી તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં લોક સહયોગ થકી સક્રીયપણે કાર્ય કરે ત્યારે મનમાં આવી ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે માન ઊપજે. ગાયત્રી પરિવાર પણ પર્યાવરણ જાળવણી, જળ સંચય તેમજ સમગ્ર ઈકો સિસ્ટમ સાચવવા માટે સનિષઠ પ્રયાસો કરી રહ્યું છે તે પરમ પૂજ્ય ગુરૂ દેવ શ્રી રામ શર્માજી આચાર્ય જેવા યુગપુરુષોની વર્ષોની સાધનાઓનું પરિણામ છે. ગામની ધાર્મિક ભાવનાઓને પણ વિકાસના કાર્યો સાથે જોડી શકાય તેમ છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગાયત્રી પરિવારે આપ્યું છે.

હમણા મારે રાજસ્થાન સ્થિત ગાયત્રી પરિવારના શ્રી થનારામજી સાથે મોબાઈલ ઉપર વાત થઈ તો જાણવા મળ્યુ કે ત્યાં ગાયત્રી પરિવાર દ્વારા વિલુપ્ત બાંડી નદીને પુન: જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  રાજસ્થાન મા નદીનું જે ઉદગમ સ્થાન છે એ જગ્યાએ ગાયત્રી પરિવાર દ્વારા લગભગ 1600 વૃક્ષો ઉછેરવામાં આવ્યા . પર્યાવરણ અને જળ સરક્ષણ માટે ગાયત્રી પરિવાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે . આવા  તો અનેક ઉદાહરણો છે જે ક્યારેક વિગતે લખીશુ. આજના પ્રસંગે હરિદ્વાર શાંતિકૂંજથી ગાયત્રી પરિવારના પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહી શ્રી રામ સ્મૃતિ ઉપવનના મહત્વ વિશે માર્ગદર્શન માર્ગદર્શન આપી શ્રી ગાયત્રી પ્રાર્થના, મંત્રના ઉચ્ચારણ સાથે શ્રી રામ સ્મૃતિ ઉપવનનું વિધિસર લોકાપર્ણ કર્યું હતું.

શ્રી રામ સ્મૃતિ ઉપવનમાં એકયુપંચર પાથ, નક્ષત્રો,રાશિ અને ગ્રહો અનુસાર વિવિધ વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે તો સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાચિન ભારતમાં વનસ્પતિઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. તેને બ્રહ્માના કેશથી જન્મેલા પરમાત્માનું પહેલું સ્વરૂપ માનવામાં આવતું હતું. શ્રી રામ સ્મૃતિ ઉપવન વડગામના લોકોની આરોગ્યની જાળવણી માટે ખૂબ ઉપયોગી બનશે. વડગામ ગાયત્રી પરિવાર, મુખ્ય દાતાશ્રી ગિરિશભાઈ ભોજક તેમજ લોક ઉપયોગી આ કાર્યમાં સહયોગી તમામ મહાનુભાવોને અભિનંદન પાઠવું છું.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More