મુલાકાત

માલપુરીયાની મુલાકાત.

2022ના જુલાઈ મહિનાની 8 તારીખે વહેલી સવારે પાલનપુર તાલુકાના માલપુરીયા ગામના મુનિજી મંદિરની શુભેચ્છા મુલાકાતે મહંત શ્રી તુલસીદાસ બાપુના આમંત્રણને સ્વિકારી જવાનું થયું, સાથે ચંપો, પારિજાત, ટગર જેવા ફુલછોડ અને બોરસલ્લી જેવા છાંયડો આપતા વૃક્ષ ના રોપા યાદગીરી રૂપે ત્યાં રોપાવા સાથે લઈને ગયો.

મારી એમની પ્રથમ મુલાકાત હતી. તુલસીદાસબાપુ જે રીતે ગાદી ઉપર બેઠેલા હતા એ જોતા મને સંદેહ ગયો કે તેઓ કોઈ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. એમના હાથ -પગ હલન ચલન કરી શકતા ન હતા પણ એમની માનસિક મનોબળ અને સ્વસ્થતા આસમાની હતી. આવી શારીરિક પરિસ્થિતિ વચ્ચે તેઓશ્રી સમગ્ર મંદિરનો વહીવટ કરી રહ્યા હતા એટલું જ નહી આત્મવિશ્વાસ એટલો કે તેઓ આપણી સાથે વાતચીત કરતા હોય ત્યારે આપણને સહેજે ખ્યાલ ન આવે કે તેઓ આટલી ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે.

દેશી વંશની ગીર તેમજ કાંકરેજ ગાયોની ગંગા ગૌશાળા ( ગૌ શાળા માટે કેટલો સુંદર શબ્દ પ્રયોગ) મંદિર પરિસરમાં આવેલી છે. આપણા દેશી ગૌવંશ ઝડપથી ઘટી રહ્યા છે ત્યારે આવી ગૌશાળાઓનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે. ગાયો માટે ઘાસચારો જે જીવદયા પ્રેમીઓ મોકલાવે એના ઉપર ગૌશાળા નિર્ભર છે, કારણ કે મંદિર પાસે પોતાની એવી કોઈ જગ્યા નથી જ્યાં ઘાસચારો ઊગાડી ગાયોને નીરી શકાય. ગાયોનું જે દૂધ મળે એમાંથી ઘી બનાવી માર્કેટ ભાવે વેચવામાં આવે છે, એમાંથી થતી આવક માંથી પણ ગૌશાળા નિભાવણી ખર્ચ કાઢવામાં આવે છે.
દર પુનમે ગામની શાળાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. બ્રાહ્મણ, સાધુઓને પણ ભોજન પ્રસાદ આપવામાં આવે છે. દર ગુરુ પૂર્ણિમાના દિવસે સમસ્ત ગામ અહીં સામુહિક ભોજન પ્રસાદ લે છે. આ પરિસરમાં મહાદેવ નું પ્રાચિન મંદિર પણ છે. જોડે જ મહાદેવના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દરેક ગામના મંદિરોમાં એક ગૌશાળા અવશ્ય હોવી જોઈએ જ્યાં આપણા દેશી ગૌવંશ ની જાળવણી અને નિભાવણી સાથે સાથે એમાંથી પૂરક આવક ઊભી કરી સેવાકીય કાર્યો થઈ શકે.

બાલારામના જંગલોને અડીને આવેલા માલપુરીયા સુધી જંગલમા ઊભેલી અસંખ્ય બોરડીઓના મીઠા – તાજા બોર બોરડીને ઝમકોળી બચપણમાં ખાવાની મઝા તેમજ ચિત્રાસણી પ્રાથમિક શાળામાં ભણતા એ વખતે માલપુરિયા પ્રાથમિક શાળામાં યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો મા ભાગ લેતા એ દિવસો તેમજ સઘનક્ષેત્રથી વાયા માલપુરિયા, સાંગ્રા- કરજોડા – સદરપુર થઈ પાલનપુરની બસ મુસાફરી ની આજથી 35 વર્ષ પહેલાની યાદો માલપુરીયાની મુલાકાત વખતે તાજી થઈ.

નિતીન એલ.પટેલ ( વડગામ)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

આબુરાજ માં આવેલ પાંડવગુફાની મુલાકાત

પવિત્ર પાવન ભૂમિ એવા આબુરાજના પર્વતો વચ્ચે આવેલ ઐતિહાસિક પાંડવગુફાની પ્રાકૃતિક જગ્યાએ વિશ્વ વર્ષાવન દિવસે મુલાકાતે જવાનું થયું. યોગાનુયોગ આ દિવસે વર્ષારાની પણ મન...
Read More
post-image
જનરલ મુલાકાત

શાળા હોય તો આવી…!!

શિક્ષણ, શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ સમાજની તસ્વીર બદલી શકે છે જો શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ જીવન મૂલ્યોના પાઠ શીખી શકે એવી ઉત્તમ અને ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ...
Read More
post-image
મુલાકાત

સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત

૧૫ , જુન, ૨૦૨૫ ના રોજ પ્રભુ સેવા મંડળ લક્ષ્મીપુરા, પાલનપુર દ્વારા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્ર ચોકડી હિમંતનગર મુકામે પદ્મશ્રી એવોર્ડ વિજેતા -૨૦૨૫...
Read More
post-image
ઇન્ટરવ્યું

મરીન એંજિનિયર જીમેશ જોશી સાથે મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના વડગામ  ગામના વતની અને હાલ પાલનપુર નિવાસી જીમેશભાઈએ મહારાષ્ટ્ર નેવલ એકેડમી, પુણેમાંથી મરીન એન્જિનિયરિંગની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી છે. હવે તેઓ ભારત...
Read More
post-image
ઇન્ટરવ્યું

IIT Graduate જય ચૌધરી સાથે વાર્તાલાપ.

પાલનપુર તાલુકાના નાનકડા નળસર ગામનો તેજ્સ્વી યુવાન જય ઘેમરભાઈ ચૌધરી બચપણથી જ ભણવામાં હોંશિયાર હતો. આજે જય ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગણાતી એવી Indian...
Read More