જળસંચય

પાણી સંગ્રહ કરવાની લાંબા ગાળાની યોજનાઓ.

ઉત્તર ગુજરાતમાં પાણી એટલા બધા ઊંડા ગયા છે કે હવે ત્યાંથી પાણીનો મળતો જથ્થો ઘટવા લાગ્યો છે અથવા તો પાણી ખારા થઈ રહ્યા છે. ભૂગર્ભ પાણી એટલા ઘટી ગયા છે કે આવતા થોડા વર્ષોમાં તે મળે, એટલે લાંબે ગાળે તેના ભરોસે ખેતી જીવી નહી શકે, વળી આટલી ઊંડાઈએ હવે ચોમાસાના વરસાદના પાણી ભાગ્યે જ ઉતરે અને તેથી માનવ પ્રયત્નોથી પણ એ પાણી વધારવું લગભગ અશ્ક્ય બની ગયું છે. હવે વિકલ્પ દેખાય છે તે ઉપરના તળમાં અથવા જમીન પર તળાવો બાંધી ચોમાસાના પાણી સંઘરવાનો પણ આ પાણી તો જ સંઘરાય જો ચોમાસામાં પાણી મોટા પ્રમાણમાં મળે. ઓછા વરસાદને કારણે આ વાત પણ બહુ મદદ નહી કરી શકે.
અંહી આપણે જમીન નીચે અને જમીન ઉપર પાણી ભરવા માટે કુવાઓ, ચેક ડેમ. આડબંધો, ગુપ્ત બંધો, ગામ તળાવો, નાની તથા મધ્યમ કદની સિંચાઈને અનુરૂપ તળાવો વગેરે બાંધવા તથા તેમા પાણી ભરવાની વ્યવ્સ્થા ગોઠવવી. અંહી પડતા અને વહી જતા બધા પાણીને નદી નાળામાં નાના આડબંધો (ચેક્ડેમો) બાંધી ભેગુ કરી શકાય. નાના મોટા તળાવો ભરવાની વાતા વિચારવી પડે, તેમાંય જયારે દુષ્કાળ આવે ત્યારે અંહી વરસાદ નથી પડતો એટલે આ બધા તળાવો ખાલી રહે છે, તેને ભરવા માટેનો એક જ વિક્લ્પ છે, જ્યાં ખૂબ વરસાદ આવે છે, નદીઓમાં પૂર આવે છે તે પૂરના પાણીને અંહી લઇ આવવું અને આ તળાવોમાં સંઘરવું.

જેમ અનાજ આપણે રેલ્વે અથવા રોડથી. વિજળી જેમ ગ્રીડથી લાવીએ છીએ તેમ અંહી આપણે પાણીની ગ્રીડ (water grid) બનાવવી પડશે અને તેનાથી આપણા આ નવા પ્રકારના પાણીના ગોદામો (water ware Houses) ભરવા પડશે. આ કડાણા હાઈલેવલ કેનાલથી બને. નર્મદામાં પૂર આવે ત્યારે પાણી નર્મદાની નહેર મારફત લાવી જ્યાં નદી નાળું મળે તેમાં નિયમિત રીતે છોડી ચેક્ડેમ કરી સંઘરવા તથા નર્મદા નહેરની પૂર્વ તરફના પ્રદેશમાં જરૂરત પડે તો પમ્પીંગ કરીને પણ તળાવડા ભરવા પડશે . જો આપણે આજે ૭૦૦ ફૂટ ઊંડાઇથી ટ્યુબવેલથી પાણી ખેંચી ખેતી કરી શક્તા હોય તો એટલી ઊંચાઇ સુધી નથી લઇ જવાનું. એ વિજળી થોડા સમય માટે જોઈએ અને એવા થોડા સમય માટે જોઇએ જ્યારે ચોમાસામાં ખેતીનો વપરાશ નહી હોય.
બિજો મુદ્દો છે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને તેના માટે ખેતીમાં ડ્રિપ ઇરિગેશન મદદરૂપ બની શકે…………

( 1991ની સાલમાં ઉત્તર ગુજરાતની જળ સમસ્યા અને તેના ઉકેલ ઉપર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર અને લોકવિકાસ, અમદાવાદ દ્વારા મહેસાણા મુકામે એક પરિસંવાદ યોજાયો હતો એ પ્રસંગે શ્રી વિઠ્લભાઇ પટેલ ( નિયામક, જીવરાજભાઈ પટેલ વન વિજ્ઞાન કેંદ્ર દ્વારા લિખિત લેખ માંથી સાભાર ઉપરાંત આ માહિતી પુસ્તક ના માધ્યમથી મારા સુધી પહોંચાડ્વા બદ્લ મા. શ્રી વિજ્ય પ્રકાશ જાની સાહેબ નો ખૂબ ખૂબ  આભાર )

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જળસંચય પર્યાવરણ પ્રવાસ મુલાકાત વીડિયો

ઉમરેચા ચેક ડેમથી સિધ્ધ્પુર સુધી સરસ્વતી નદી શોધયાત્રા

સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સરપંચ શ્રી, તેમજ વડગામના અશરફ બિહારી, ઈરફાન સાથે સરસ્વતી નદીના પટ ઉપર આવેલ ઉમરેચા બેરેજ , નાગવાસણા કોઝવે ,સંડેસરી કોઝ...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ મુલાકાત

સરસ્વતી અને તેની સહાયક મુખ્ય નદીઓનો જળ પ્રવાહ

વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ

અર્જુની-સરસ્વતી અને ખારી નદી સંગમ સ્થળ

ભેમાણના ડુંગરો માંથી આવતી નદી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેથી આવતી હોવાથી તે ખારી નદી તરીકે ઓળખાય છે. આ ખારી નદીનો પ્રવાહ...
Read More
post-image
જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદીને સહાયક જોયણ નદીનુ ઉદ્દગમ સ્થાન.

અરવલ્લીની ગિરિમાળાઓ માં મોમાજીનો પહાડ છે ત્યાં સરસ્વતીની સહાયક એવી જોયણ નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ વિસ્તાર વન સમૃદ્ધિથી ભરપૂર છે. અસંખ્ય નાના ઝરણાઓ...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

આબુરાજ માં આવેલ પાંડવગુફાની મુલાકાત

પવિત્ર પાવન ભૂમિ એવા આબુરાજના પર્વતો વચ્ચે આવેલ ઐતિહાસિક પાંડવગુફાની પ્રાકૃતિક જગ્યાએ વિશ્વ વર્ષાવન દિવસે મુલાકાતે જવાનું થયું. યોગાનુયોગ આ દિવસે વર્ષારાની પણ મન...
Read More